અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય


gr

  • યોજનાનું નામ | અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને સહાય (બીસીકે-૧૩૬) સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રી દ્વારા કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
  • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.

    અરજદારે કાયદાના સ્નાતક હોવા જોઈએ.

    સીનીયર વકીલના હાથ નીચે પ્રેક્ટીસ કરતા હોવા જોઈએ.

    સીનીયર વકીલનો પ્રેકટીસનો ઓછામાં ઓછો ૭ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.

    સનદ મળ્યા પછી બે વર્ષની અંદર અરજી કરનાર અરજદારને આ લાભ મળી શકશે.
  • સ્ટાઈપેન્ડ / સહાય મર્યાદા | પ્રથમ વર્ષ માટે માસિક રુ. ૧૦૦૦/- લેખે રુ. ૧૨૦૦૦/-

    બીજા વર્ષ માટે માસિક રુ. ૮૦૦/- લેખે રુ. ૯૬૦૦/-

    ત્રીજા વર્ષ માટે માસિક રુ. ૬૦૦/- લેખે રુ. ૭૨૦૦/- કુલ રુ. ૨૮૮૦૦/-

    સીનીયર વકીલને માસિક રુ. ૫૦૦/- લેખે ૩ વર્ષના રુ. ૧૮૦૦૦/- નું એલાઉન્સ મળવાપાત્ર થાય છે.
  • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

    આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના લાભાર્થીએ તકેદારી અધિકારીશ્રી મારફત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનને દરખાસ્ત રજૂ કરવાની હોય છે.
  • સહાય ચુકવવાનો સમયગાળો | મંજુર કરવામાં આવેલ સહાય સીનીયર વકીલના પ્રમાણપત્રના આધારે છ માસિક ધોરણે ત્રણ વર્ષ સુધી (તાલીમના સમયગાળા દરમિયાન) ચુકવવામાં આવે છે.
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૨૮,૮૦૦/-
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ તરીકે આપવી જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકિલને પ્રથમ વર્ષે માસિક રૂ.૧૦૦૦/- લેખે બીજા વર્ષે માસિક રૂ.૮૦૦/- લેખે તમજ ત્રીજા વર્ષે માસિક રૂ.૬૦૦/- પ્રમાણે કાયદાના સ્નાતકોને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જે સિનિયર વકિલના હાથ નીચે તેઓ પ્રેકટીસ કરે છે તે સિનિયર વકિલને માસિક રૂ.૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી રૂ.૧૮,૦૦૦/- એલાઉન્સ તરીકે આપવામાં આવે છે .
Also in this Section