SCHEMES


1) શ્રી રિમુભાઇ દેવીદાસભાઈ ગામીત. ગામ -ભીતબુદ્રક તા-ઉચ્છલ જી-તાપી

-1986થી ઉકાઈ જળાશયની અંદર માછીમારવાનું અને ખેત મજૂરી નું કામ

-1990થી 1995 સુધી કરિયાણા ની દુકાન અને વાંસ ના બાંબુ માંથી ટોપલા બનાવાનું કામ કરતા

-1995 થી2000 સુધી કડિયા કામ કરી ધીરે ધીરે નાના કોન્ટ્રાકટરનું કામ શરૂ કયુઁ

-2000થી ઈંટ ભટ્ટી નો ધંધો શરૂ કરી

-2017થી પેવરબ્લોક ની ફેકટરી શરૂ કરી હાલ 30 દિવસે 45000-થી 50000નંગ નું ઉત્પાદન કરું છું –

2) ગામીત રવિન્દ્રભાઇ શુકરીયાભાઇ, મુ.પો.સિંગપુર તા. સોનગઢ જિ.તાપી

ક્ર્મ

કચેરીનું નામ

પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિસ્તાર પેટા યોજના, સોનગઢ, જિ.તાપી. (નિગમ શાખા)

લાભાર્થીનું નામ

ગામીત રવિન્દ્રભાઇ શુકરીયાભાઇ

સરનામું

મુ.પો.સિંગપુર તા. સોનગઢ જિ.તાપી.

હેતુ

ઇકોવાન (NSTFDC)

ધિરાણ

રૂ.450000/-



પ્રાયોજના વહીવટદારશ્રી, સોનગઢ,જિ.તાપીનાં લાભાર્થી શ્રી ગામીત રવિન્દ્રભાઇ શુકરીયાભાઇ મુ.પો.સિંગપુર તા. સોનગઢ જિ.તાપીને હેતુ ઇકોવાન NSTFDC યોજના હેઠળ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના માધ્યમથી કેન્દ્ર સરકારક્રુત ચાલતી યોજના NSTFDC ઇકોવાન આપવામાં આવેલ છે. જે વાહન તેમણે PHC CENTER શિંગપુર તા.-સોનગઢ જિ.તાપી. ભાડા કરાર પર મુકીને પોતાનુ ગુજરાન ચલાવે છે. જે મંદીના સમયમાં પણ ફિક્સ ભાડા કરાર વાહન મુકી એમની આજીવિકા મેળવે છે. જેમાથી બચત કરી ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ગાંધીનગરના ધિરાણનુ ચુકવણુ નિયમિત ચેકથી ભરે છે. ઇકોવાન (NSTFDC)

શરુઆતના દિવસોમાં તેમની પાસે આવકનુ સાધન ન હતુ કોઇ પણ પ્રકારનો રોજગાર ન હતો ત્યારે તેમણે છુટક મજુરી કરવી પડતી હતી ક્યાતો અન્ય વાહન પર ડ્રાયવિંગ કરી રોજ પર કામ કરતા હતા અને આર્થિક સ્થિતિ પણ સારી ન હતી NSTFDC યોજનાનું વાહન ઇકોવાન મેળવ્યા બાદ તેઓ પાસે પોતાની ગાડી છે, જાતે ચલાવે છે અને આર્થિક રીતે મજબુત થયા છે. ઘર ખર્ચ ચલાવ્યા બાદ જે કઇ બચત થાય છે તેનો ઉપયોગ ધિરાણનુ ચુકવણુ કરવામાં કરે છે.આમ હવે ઉપરોક્ત લાભાર્થીની આર્થિક સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. તે બદલ લાભાર્થી પ્રાયોજના ક્ચેરી સોનગઢ અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરનો તથા સરકારશ્રીએ ધિરાણ પેટે આપેલ લાભ ના તેઓ રૂણી છે. અને સરકારશ્રીની આ યોજનાનો લાભ મળ્યાથી હ્રદયથી આભાર વ્યકત કરે છે.

3) લાભાર્થીનું નામ:-ગામીત કનૈયાલાલ માલજીભાઇ, મુ.પો. ડુંગરી તા.માંગરોળ જી.સુરત

મો.નં. ૯૦૯૯૧૨૮૨૩૨

હેતુ:- ઝેરોક્ષ મશીન

ધિરાણ ની રકમ :-૫,૦૦,૦૦૦/-

હું ગામીત કનૈયાલાલ માલજીભાઇ સુરત જીલ્લા ના માંગરોળ તાલુકાના ડુંગરી ગામનો વતની છું મારૂ મારા માતા પિતા તથા બાળકો સહીત ૫ સભ્યોનું કુટુબ ધરાવુ છું. મારી પાસે આવકનું સાધન ન હોવાથી બેરોજગાર હતો સરકારશ્રી ના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મને વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માં ઝેરોક્ષ મશીન ના ધંધા માટે રૂ.૫,૦૦,૦૦૦/- લોન મંજુર કરેલ હતી. જે માંથી મે ઝેરોક્ષ મશીન ખરીદ કરેલ છે.

સરકારશ્રી, દ્વારા લોન માં ખરીદ કરેલ ઝેરોક્ષ મશીન ના સાધન થી મને ઘણી રાહત મળી છે. લોન મળ્યા પછી હું મારો ધંધો ચાલુ કરી, કરી ને મારી આજીવિકા મેળવુ છુ. અને લોન મળ્યા પછી ધંધો વધુ સારો ચાલતો હોવાથી, મારી આવક માં પણ વધારો થયો હોવાથી મારૂ જીવન ધોરણ આગળ આવ્યુ જેથી હું આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માનું છુ.

4) લાભાર્થીનું નામ:-ચૌધરી સતીષભાઇ નટુભાઇ મુ.પો. ભડકુવા તા.માંગરોળ જી.સુરત

મો.નં.૭૫૬૭૩૬૪૧૮૫

હેતુ:- ટ્રેકટર

ધિરાણ ની રકમ :-૬,૦૦,૦૦૦/-

હું ચૌધરી સતીષભાઇ નટુભાઇ સુરત જીલ્લા ના માંગરોળ તાલુકાના ભડકુવા ગામનો વતની છું મારૂ મારા માતા પિતા તથા બાળકો સહીત ૬ સભ્યોનું કુટુબ ધરાવુ છું. મારી પાસે આવકનું સાધન ન હોવાથી બેરોજગાર હતો સરકારશ્રી ના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ટ્રેકટર ના ધંધા માટે રૂ/-૬,૦૦,૦૦૦/- લોન મંજુર કરેલ હતી. જે માંથી મે ટ્રેકટર ખરીદ કરેલ છે.

સરકારશ્રી, દ્વારા લોન માં ખરીદ કરેલ ટ્રેકટર ના સાધન થી મને ઘણી રાહત મળી છે. લોન મળ્યા પછી હું મારો ધંધો ચાલુ કરી, ગામડામાં જ્યા રોજગારી મળે ત્યા જઇ ને ખેતરમાં ખેડ કરી ને મારી આજીવિકા મેળવુ છુ. અને લોન મળ્યા પછી ધંધો વધુ સારો ચાલતો હોવાથી, મારી આવક માં પણ વધારો થયો હોવાથી મારૂ જીવન ધોરણ આગળ આવ્યુ જેથી હું આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માનું છુ.



5) લાભાર્થીનું નામ:-વસાવા ચંદનભાઇ કુવરજીભાઇ મુ.પો. વેલાવી તા.ઉમરપાડા જી.સુરત

મો.નં. ૮૩૨૦૯૦૯૦૭૦

હેતુ:- ઇકો વાન

ધિરાણ ની રકમ :-૫,૦૦,૦૦૦/-

હું વસાવા ચંદનભાઇ કુવરજીભાઇ સુરત જીલ્લા ના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામનો વતની છું મારૂ મારા માતા પિતા તથા બાળકો સહીત ૪ સભ્યોનું કુટુબ ધરાવુ છું. મારી પાસે આવકનું સાધન ન હોવાથી બેરોજગાર હતો સરકારશ્રી ના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ઇકો વાન ના ધંધા માટે રૂ/-૫,૦૦,૦૦૦/- લોન મંજુર કરેલ હતી. જે માંથી મે ઇકો વાન ખરીદ કરેલ છે.

સરકારશ્રી, દ્વારા લોન માં ખરીદ કરેલ ઇકો વાન ના સાધન થી મને ઘણી રાહત મળી છે. લોન મળ્યા પછી હું મારો ધંધો ચાલુ કરી, ગામડા શાકભાજી તેમજ છુટક ભાડા મેળવી ને મારી આજીવિકા મેળવુ છુ. અને લોન મળ્યા પછી ધંધો વધુ સારો ચાલતો હોવાથી, મારી આવક માં પણ વધારો થયો હોવાથી મારૂ જીવન ધોરણ આગળ આવ્યુ જેથી હું આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માનું છુ.



6) લાભાર્થીનું નામ:-વસાવા શંકરભાઇ નરસિહભાઇ, મુ.પો. સાદણાપાણી તા.ઉમરપાડા જી.સુરત

મો.નં. ૮૨૩૮૧૪૩૬૪૪

હેતુ:- રાઇસમીલ

ધિરાણ ની રકમ :-૨,૦૦,૦૦૦/-

હું વસાવા શંકરભાઇ નરસિહભાઇ સુરત જીલ્લા ના ઉમરપાડા તાલુકાના સાદણાપાણી ગામનો વતની છું મારૂ મારા માતા પિતા તથા બાળકો સહીત ૫ સભ્યોનું કુટુબ ધરાવુ છું. મારી પાસે આવકનું સાધન ન હોવાથી બેરોજગાર હતો સરકારશ્રી ના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં રાઇસમીલ ના ધંધા માટે રૂ/-૨,૦૦,૦૦૦/- લોન મંજુર કરેલ હતી. જે માંથી મે રાઇસમીલ ના સાધનો ખરીદ કરેલ છે.

સરકારશ્રી, દ્વારા લોન માં ખરીદ કરેલ રાઇસમીલ ના સાધન થી મને ઘણી રાહત મળી છે. લોન મળ્યા પછી હું મારો ધંધો ચાલુ કરી, ગામડામાં મારા પોતાના જ ઘરમાં રાઇસમીલ ચલાવુ છું અને મારી આજીવિકા મેળવુ છુ. અને લોન મળ્યા પછી ધંધો વધુ સારો ચાલતો હોવાથી, મારી આવક માં પણ વધારો થયો હોવાથી મારૂ જીવન ધોરણ આગળ આવ્યુ જેથી હું આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માનું છુ.



7) લાભાર્થીનું નામ:-વસાવા રમેશભાઇ સામસીગભાઇ,મુ.પો. દિવતણ તા.ઉમરપાડા જી.સુરત

મો.નં. ૯૭૧૨૦૬૦૨૦૨૦

હેતુ:- મંડપ ડેકોરેશન

ધિરાણ ની રકમ :- ૨,૦૦,૦૦૦/-

હુ વસાવા રમેશભાઇ સામસીગભાઇ સુરત જીલ્લા ના ઉમરપાડા તાલુકાના દિવતણ ગામનો વતની છું મારૂ મારા માતા-પિતા તથા બાળકો સહીત સભ્યોનું કુટુબ ધરાવુ છું મારી પાસે આવકનું સાધન ન હોવાથી બેરોજગાર હતો સરકારશ્રી ના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા મને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં મંડપ ડેકોરેશન ના ધંધા માટે રૂ.૨,૦૦,૦૦૦/- લોન મંજુર કરેલ હતી જે માંથી મે લગ્ન પ્રસગો તથા અન્ય પ્રસગોમાં મંડપ ડેકોરેશન માટેના સાધનો ખરીદ કરેલ છે.

સરકારશ્રી દ્વારા લોન માં ખરીદ કરેલ મંડપ ડેકોરેશનના સાધનો થી મને ઘણી રાહત મળી છે. લોન મળ્યા પછી હું મારો ધંધો ચાલુ કરી ગામડા માં નાના મોટા પ્રસંગમો જઇ મંડપ ડેકોરેશન કરી ને મારી આજીવિકા મેળવુ છુ. અને લોન મળ્યા પછી ધંધો વધુ સારો ચાલતો હોવાથી મારી આવક માં પણ વધારો થયો હોવાથી મારૂ જીવન ધોરણ આગળ આવ્યુ જેથી હું આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માનું છુ.



8) માનનીય મુખ્ય મંત્રીશ્રી નાહરી કેન્દ્ર યોજના, લક્ષ્મી સખી મંડળ, આહવા, જી.ડાંગ

યોજનાકીય માહિતીઃ-

આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ મહિલાઓમાં રોજગારીની તકો ઉભી થાય અને આદિજાતિ લોકોની ખાદ્ય વાનગીઓ-વન્ય ભોજન તેમજ વન્ય પેદાશો, પરંપરાગત હસ્તકલાના નમૂના,વાંસ કામની ચીજવસ્તુઓના વેચાણ થાય તે હેતુસર મુખ્ય મંત્રીશ્રી નાહરી કેન્દ્ર શરૂ કરવા માટે આદિજાતિ વિકાસ વિભાગ, ગુ.રા. ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ- પરચ-૧૦૨૦૧૬-ન, બા.૨૯-ઘ, તા.૧૯/૦૪/૨૦૧૬ થી માન.મુખ્ય મંત્રીશ્રી નાહરી કેન્દ્ર શરૂ કરવા માટેની યોજના મંજુર કરવામાં આવેલ છે.

ઉપરોક્ત ઠરાવ અન્વયે નાહરી કેન્દ્ર સ્થાપવા મહિલા સંચાલિત ગૃપોને થનાર ખર્ચ જેમકે, વાંસકામ માટે કાચો માલ, ફર્નિચર, વાસણો, ફ્રીઝ,વોટર કુલર,ટોયલેટ, બાથરૂમ વિગેરેની સુવિધા વિકસાવવા થનાર ખર્ચ પૈકી ૫૦ ટકા રકમ અથવા રૂ.૫.૦૦ લાખ બે પૈકી જે ઓછું હોય તે સબસીડી પેટે અને બાકી રહેતી ૫૦ ટકા રકમ લોનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં લોન ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર મારફત અને સબસીડીની રકમ મે. કમિશ્નરશ્રીની કચેરી,આદિજાતિ વિકાસ,ગાંધીનગર દ્વારા પ્રાયોજના વહીવટદારની કચેરી મારફત જે તે મહિલા જૂથને ફાળવવામાં આવે છે.

સહાયિત સફળતાઃ-

સદર યોજના અંતર્ગત આહવા ખાતે લક્ષ્મી સખી મંડળ, આહવાકે જેમાં કુલ 10 બહેનોનું જૂથ સક્રિય છે તેમના દ્વારા મુખ્ય મંત્રીશ્રી નાહરી કેન્દ્ર સ્થાપિત કરવા માટેની દરખાસ્ત અત્રેથી મંજુર અર્થે જી.ટી.ડી.સી. ગાંધીનગરને રજુ કરતા વર્ષ 2017-2018 માં જી.ટી.ડી.સી. ગાંધીનગર મારફત કુલ રૂ.5.00 લાખની લોન મંજુર કરવામાં આવેલ હતી.

સદર લોનની રકમ રૂ.5.00 લાખ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, આહવા, જી.ડાંગ મારફત તા.14/11/2018 ના હુકમથી નાહરી કેન્દ્ર બાંધકામ માટે કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત(મા-મ) વિભાગ, જી.પં. ડાંગ-આહવાના માર્ગદર્શન હેઠળ તેમના દ્વારા તૈયાર કરેલ નિયત પ્લાન એસ્ટીમેટ અને ડીઝાઈન મુજબની કામગીરી કરવાની મંજુરી સાથે ચૂકવવામાં આવેલ હતી. ત્યાર બાદ સદર જૂથને થયેલ કામગીરી મુજબ તબક્કાવાર સબસીડીની રકમ તા.20/4/2019 થી રૂ.2.50 લાખ અને તા.19/2/2020 ના હુકમથી રૂ.2.50 લાખ મળી કુલ રૂ.5.00 લાખની સબસીડી પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, આહવા દ્વારા ચૂકવવામાં આવેલ છે.

હાલમાં સદરહુ જૂથ દ્વારા નાહરી કેન્દ્ર સફળતા પૂર્વક ચલાવવામાં આવી રહેલ છે. સદર જૂથના પ્રમુખશ્રી સુખાબેન રામદાસભાઈ કુંવર સાથે રૂબરૂ સ્થળ મુલાકાત કરી ચર્ચા કરતા તેઓ દ્વારા રોજના ગુજરાતી થાળી તેમજ ડાંગ ડીશ અડદ દાળ, , નાગલીના રોટલા, નાગલી પાપડ, લાલ-લીલી ચટણી વગેરે સાત્વિક મેનુ સાથેની ડીશ પીરસવામાં આવે છે. અહીં આજુબાજુ કચેરીઓના કર્મચારીઓ તેમજ આવતા-જતાં પ્રવાસીઓ સદર નાહરી કેન્દ્રમાં ભોજન માટે આવે છે. સદર નાહરી કેન્દ્રમાં રોજીંદા સરેરાશ 40 થી 50 જેટલા ગ્રાહકો ભોજન કરે છે. જે થકી ડીશના રૂ.70/- લેખે રોજીંદો રૂ.3000/- થી રૂ.3500/- જેટલો ધંધો થઈ રહેલ છે. વધુમાં નાહરી કેન્દ્ર દ્વારા ડાંગની સીઝનલ વાનગીઓ જેવી કે, વાંસનું અથાણું, કરમદાનું અથાણું, નાગલી પાપડી, નાગલી સેવ,નાગલી લાડુ, શિરો, નાગલીના સક્કરપાડા, નાગલી બિસ્કીટ, નાગલી લોટ, અડદનું ભુજીયું, ઓર્ગેનિક ચોખા – આંબામોર, ઈન્દ્રાણી, ઓર્ગેનિક કઠોળ અડદ, મગ વેગેરેનું વેચાણ કરવામાં આવે છે. જે થકી પણ સીઝન મુજબ રૂ.1000/- થી રૂ.1200/- ની રોજીંદી આવક થાય છે.

આમ, સદર નાહરી કેન્દ્રની બહેનો માસિક સરેરાશ રૂ.50,000/- થી રૂ.60,000/- જેટલી ચોખ્ખી આવક મેળવી રહેલ છે.આ ઉપરાંત સદર નાહરી કેન્દ્રની બહેનો સરકારશ્રી તરફથી આયોજીત થતાં હાટ બજાર અમદાવાદ, ગાંધી મેળા, કૃષિ મેળા જેવા કાર્યક્રમો દરમ્યાન પણ પોતાની વિવિધ પ્રોડક્ટસનું વેચાણ કરી આવક મેળવી રહેલ છે. આમ, સદર નાહરી કેન્દ્ર યોજના અંતર્ગત લોન અને સહાય મેળવ્યા બાદ સદર નાહરી કેન્દ્રની બહેનો ઘરકામ સાથે આ વ્યવસાય થકી આર્થિક રીતે પગભર થઈ ચૂકી છે. તેઓ મેળવેલ લોન સામે દર માસે તા.20 થી 30 તારીખ સુધીમાં રૂ.10,000/- ની ભરપાઈ કરી રહેલ છે. આમ, સદર મુખ્ય મંત્રીશ્રી નાહરી કેન્દ્ર યોજના એ આદિજાતિ બહેનોના જૂથો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ ચૂકી છે. સદર યોજનાના લાભ થકી આ જૂથની બહેનોના કુટુંબોનો આર્થિક અને સામાજીક વિકાસ સાધીને પોતાના બાળકોને સારું શિક્ષણ આપી રહેલ છે. સદર યોજનાના મળેલ લાભ માટે સદર જૂથ દ્વારા સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ અને આદિજાતિ વિકાસ નિગમનો આભારની લાગણી અનુભવી રહેલ છે.




9) લાભાર્થી નું નામ સ્મિતાબેન પટેલ, ગામ- આહવા તા.આહવા જી ડાંગ

સ્વરોજગાર યોજના હેતુ :- રેડિમેઇડ ગારમેંન્ટ

પ્રસ્તાવના :- ડાંગ જિલ્લો ગુજરાત રાજય નો છેવાડો નો જીલ્લો છે. ડાંગ જિલ્લા ની આગવી ઓળખ ગીરીમથક જીલ્લા તરીકે ની છે. ડુંગરોની હરીયાળી અને ગીરીકંન્દ્રા ઓમાં નાના નાના ગામો માં લોકો વસે છે. ડાંગ જીલ્લામાં ગરીબી રેખા નીચે આવતા કુંટુંબોનું પ્રમાણ ૮૦થી ૯૦% ની આજુબાજુ છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગ જીલ્લાની વસ્તી ૨,૨૮૨૯૧ જેટલી છે. જે માંથી ૯૪% વસ્તી આદીવાસી છે. ડાંગ જીલ્લામાં જંગલ વિસ્તાર પ્રોટેકફોરેસ્ટ ને લઇ કોઇ કંપની કે રોજગાર ની તકો ઉપલ્બધ નથી. જેતી મુખ્યત્વે ખેતી અને જંગલપેદાશ પર આધાર રાખવો પડે છે. અહિના લોકો આજીવિકા માટે ખેત મજુરી અને જંગલ મજુરી પર આધાર રાખે છે. જીલ્લામાં વસતા લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે. કુદરતી સ્ત્રોતોનું , અપુરતી સુવિધા અને આજીવિકા માટે પ્રદેશ છોડીને જવું વગેરે જેવી લાક્ષણીકતાઓ જોવા મળે છે. સરકારી અને બિનસરાકારી સંસ્થાઓના ઘણા વર્ષો અને વિકાસના પ્રયાસો પછી પણ આદીવાસીઓ વિકાસ કરવા અને જીવન ગુણવત્ત્તા સુધારવા ઝંખે છે. આવા કાર્યક્ર્મોના અભ્યાસ પરથી માહિતગાર થઇ આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્રારા સ્વરોજગાર ઘર આગણે મળી રહે તેવા હેતુથી સરળતાથી લોન ધિરાણ આપવા માટે વિવિધ યોજનાઅઓ અમલ કરેછે. જેના થકી આદિવાસી લોકોને સરળ હપ્તાથી અને નીચા વ્યાજદરથી લોન સહાય મળે અને તેઓની આવકમાં વધારો કરવાનો છે. જેના થકી તેઓનું જીવન સુંદર અને સરળ બને અને તેમનું જીવનધોરણ ઉપર લાવવાનો છે.

લોન સહાય મળવા પેહલાની પરિસ્થતિ : અહિ ની પરિસ્થીતિ મુજબ વર્ષ દરમ્યાન દિવાળી અને ફાગણ માસ દરમ્યાનમાં હોળી નો મોટો તેહવાર માનવામાં આવે છે. જે ડાંગ નો ભાતીગળ મેળામાં થોડો ઘણો કપડા વેચતા હતા, તેમજ હાટ બજારમાં ફરવાથી થોડા ઘણા કપડાં નું વેચાણ થતુ હતુ . જેના થકી માંડ ખર્ચ કાઢતા જે થોડા પૈસાની બચત થતી. હતી. જેમાંથી પોતાનુ ગુજરાન ચલાવતા હતા. માલ લેવામાટે ઓછી ના પૈસા લેવાની જરૂરિયાત ઉભી થતી હતી. જેને લઇ ને વ્યવસાય સરળતાથી કરી શકતા નહતા .

લોન મળ્યા પછી ની સફળતા :

સ્વરોજગાર યોજના હેઠળ વર્ષ-૨૦૧૮-૧૯ માં રેડિમેઇડ ગારમેંન્ટ ના વ્યવસાય માટે હું સ્મિતાબેન પટેલ ગુજરાત આદિજાતિ વિકાસ તરફથી લોન ધિરાણ અંગેની માહિતી પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરી આહવા ખાતે થી મેળવી અને લોન ધિરાણ માટે ની કાર્યવાહી કરી રેડિમેઇડ ગારમેન્ટ માટે રૂ.૫૦૦૦૦૦/- પાંચલાખ રૂપિયાની લોન સહાય મળેલ છે. જેમાંથી પ્રથમ હપ્તા માં રૂપિયા ૨૫૦૦૦૦/- આપવામાં આવ્યા હતા.જેમાંથી કપડા ખરીદી કરી બહોળા વેપારની શરૂઆત કરી. વિવિધ પ્રકાર ની વેરાયટી કપડા લાવી શકી જેથી બજાર નાં વેપારી ની હરોળમાં આવી શકાયું. અને સારું વેચાણ થવા લાગ્યું ધંધો વધતા મને વધારે હિંમત આવી અને ખરીદીના બીલો રજુકરી. બીજા હપ્તા માટે ની માંગણી કરતા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તરફથી બીજ હપ્તા પેટે રૂપિયા ૨૫૦૦૦૦/- બે લાખ પચાસ હજાર મળતા દુકાન ચાલુ કરેલ છે. જેમાંથી માસ દરમ્યાન માં દુકાન અને હાટ બજારનું વેચાણ મળી રૂપિયા ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ રૂપિયા નું વેચાણ કરતા દરમાસે ૧૫૦૦૦/- પંદર હજાર જેટલી ચોખ્ખી આવક મળે છે. જેના થકી માલ લેવામાટે ઓછી ના પૈસા લેવાની જરૂરિયાત ઉભી થતી નથી. અને સમય ની ફેશન મુજબના કપડાનો માલ સરળતાથી લઇ શકાય છે. અને પહેલા બજારમાં લોકલ સાધનથી જતા હતા. હવે હું મારુ પાતાનું સાધન લઇ સમયસર પહોચી સારો વ્યવસાય કરી શકેલ છે. મળેલ આવકથી લોન ભરપાઇ કરું છું અને મારા બાળકોને સારી શાળામાં ભણવા માટે મોકલાવું છું . આ લોન સહાય થકી મારું અને મારા પરિવારનું જીવન ધોરણ ઉપર આવેલ છે. આવી રોજગારલક્ષી યોજના નોલાભ મેળવી હું સરકારશ્રી અને આદિજાતિ વિકાસ કોર્પોરેશન નો આભાર માનુ છું .




10) ડામોર નરેશભાઇ ભાવજીભાઈ, મુ.પો:પાદેડી અડોર, તાલુકો સંતરામપુર, જી મહીસાગર.

મોબાઇલ નં. ૯૭૧૨૩૨૬૬૮૬

હેતુ: રીક્ષા

ધિરાણની રકમ: ૧,૯૪,૦૦૦/-



હું ડામોર નરેશભાઇ ભાવજીભાઈ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામનો વતની છું. મારી પાસે આવકનું સાધન ન હોવાથી બેરોજગાર હતો સરકારશ્રીના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર અને એન.એસ.ટી.એફ.ડી.સી યોજના નવી દિલ્હીના સહયોગ દ્વારા મને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ના ધંધા માટે રૂપિયા ૧,૯૪,૦૦૦ લોન મંજુર કરેલ હતી જેના થકી મેં ઓટો રીક્ષા ખરીદી કરેલ છે

સરકારશ્રી દ્વારા લોનમાં ખરીદી કરેલ ઓટો રીક્ષા થી મને ઘણી રાહત મળી છે ઓટો રીક્ષા મળ્યા પછી હું મારો ધંધો ચાલુ કરી પેસેન્જરની હેરફેર કરીને મારો ધંધો ચલાવું છું અને મારી આજીવિકા મેળવું છું. મારી આવકમાં વધારો થયો હોવાથી મારું જીવન ધોરણ આગળ આવ્યું જેથી હું આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર અને એન.એસ.ટી.એફ.ડી.સી યોજના નવી દિલ્હીનો ખુબ ખુબ આભાર માનું છું

11) પરમાર નિકુંજકુમાર ચંદુભાઈ, મુ.પો:પાદેડી અડોર, તાલુકો સંતરામપુર, જીલ્લો મહીસાગર.

મો નં. ૯૫૩૭૪૭૫૪૫૬

હેતુ: ઇકો વાન

ધિરાણની રકમ: ૪,૫૦,૦૦૦/-



હું પરમાર નિકુંજકુમાર ચંદુભાઈ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામનો વતની છું. મારી પાસે આવકનું સાધન ન હોવાથી બેરોજગાર હતો સરકારશ્રીના આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર અને એન.એસ.ટી.એફ.ડી.સી યોજના નવી દિલ્હીના સહયોગ દ્વારા મને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ના ધંધા માટે રૂપિયા ૪,૫૦,૦૦૦ લોન મંજુર કરેલ હતી જેના થકી મેં ઇકો વાહન ખરીદી કરેલ છે

સરકારશ્રી દ્વારા લોનમાં ખરીદી કરેલ ઇકો વાહન થી મને ઘણી રાહત મળી છે વાહન મળ્યા પછી હું મારો ધંધો ચાલુ કરી પેસેન્જરની હેરફેર કરીને મારો ધંધો ચલાવું છું અને મારી આજીવિકા મેળવું છું. મારી આવકમાં વધારો થયો હોવાથી મારું જીવન ધોરણ આગળ આવ્યું જેથી હું આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર અને એન.એસ.ટી.એફ.ડી.સી યોજના નવી દિલ્હીનો ખુબ ખુબ આભાર માનું છું

12) મિથુનભાઇ શંકરભાઇ પવાર, મુ.પો.મોટાચર્યા તા.આહવા જી ડાંગ

એન.એસ.ટી.એફ.ડી.સી. યોજના હેતુ :- પોલ્ટ્રીફાર્મ

પ્રસ્તાવના :- ડાંગ જિલ્લો ગુજરાત રાજય નો છેવાડો નો જીલ્લો છે. ડાંગ જિલ્લા ની આગવી ઓળખ ગીરીમથક જીલ્લા તરીકે ની છે. ડુંગરોની હરીયાળી અને ગીરીકંન્દ્રા ઓમાં નાના નાના ગામો માં લોકો વસે છે. ડાંગ જીલ્લામાં ગરીબી રેખા નીચે આવતા કુંટુંબોનું પ્રમાણ ૮૦થી ૯૦% ની આજુબાજુ છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગ જીલ્લાની વસ્તી ૨,૨૮૨૯૧ જેટલી છે. જે માંથી ૯૪% વસ્તી આદીવાસી છે. ડાંગ જીલ્લામાં જંગલ વિસ્તાર પ્રોટેકફોરેસ્ટ ને લઇ કોઇ કંપની કે રોજગાર ની તકો ઉપલ્બધ નથી. જેતી મુખ્યત્વે ખેતી અને જંગલપેદાશ પર આધાર રાખવો પડે છે. અહિના લોકો આજીવિકા માટે ખેત મજુરી અને જંગલ મજુરી પર આધાર રાખે છે. જીલ્લામાં વસતા લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે. કુદરતી સ્ત્રોતોનું , અપુરતી સુવિધા અને આજીવિકા માટે પ્રદેશ છોડીને જવું વગેરે જેવી લાક્ષણીકતાઓ જોવા મળે છે. સરકારી અને બિનસરાકારી સંસ્થાઓના ઘણા વર્ષો અને વિકાસના પ્રયાસો પછી પણ આદીવાસીઓ વિકાસ કરવા અને જીવન ગુણવત્ત્તા સુધારવા ઝંખે છે. આવા કાર્યક્ર્મોના અભ્યાસ પરથી માહિતગાર થઇ આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્રારા સ્વરોજગાર ઘર આગણે મળી રહે તેવા હેતુથી સરળતાથી લોન ધિરાણ આપવા માટે વિવિધ યોજનાઅઓ અમલ કરેછે. જેના થકી આદિવાસી લોકોને સરળ હપ્તાથી અને નીચા વ્યાજદર થી લોન સહાય મળે અને તેઓની આવકમાં વધારો કરવાનો છે. જેના થકી તે ઓનું જીવન સુંદર અને સરળ બને અને તેમનું જીવનધોરણ ઉપર લાવવાનો છે.

લોન સહાય મળવા પહેલાની પરિસ્થતિ : અહિ ની પરિસ્થીતિ મુજબ ચોમાસુ અને શિયાળુ ખેતી પર આધાર રાખવો પડતો હતો. ખેતી માંથી જે ખેત પેદાશ ઉત્પન થાય છે. તે ઘર વપરાશ માટે રાખી બાકી ની ખેત પેદાશ બજાર માં વેચતા જેના થકી માંડ ખર્ચ કાઢતા જે થોડા પૈસાની બચત થતી. હતી. જેમાંથી પોતાનુ ગુજરાન ચલાવતા હતા.ખેતી કરવા માટે ઓછી ના પૈસા લેવાની જરૂરિયાત ઉભી થતી હતી. જેને લઇ ને દરેક સિઝનનું વાવેતર સમય સર સરળતાથી કરી શકતા નહતા . જેની અસર ઉત્પાદન પર પણ થતી હતી.

લોન મળ્યા પછીની સફળતા : સ્વરોજગાર યોજના હેઠળ વર્ષ-૨૦૧૯-૨૦ માં પોલ્ટ્રીફાર્મ ના વ્યવસાય માટે હું મીથુનભાઇ શંકરભાઇ પવાર ગુજરાત આદિજાતિ વિકાસ તરફથી લોન ધિરાણ અંગેની માહિતી પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરી આહવા ખાતે થી મેળવી અને લોન ધિરાણ માટે ની કાર્યવાહી કરી પોલ્ટ્રીફાર્મ માટે રૂ.૪૫૦૦૦૦/- ચાર લાખ પચાસ હજાર રૂપિયાની લોન સહાય મળેલ છે. જે માંથી પ્રથમ હપ્તા માં રૂપિયા ૨૨૫૦૦૦/- આપવામાં આવ્યા હતા.જેમાંથી પોલ્ટ્રીફાર્મ શેડ બાંધકામ કરી તૈયાર કરેલ છે. તૈયાર બાદ ખરીદીના બીલો રજુ કરી. બીજા હપ્તા માટે ની માંગણી કરતા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તરફથી બીજ હપ્તા પેટે રૂપિયા ૨૨૫૦૦૦/- બે લાખ પચીસ હજાર મળતા પોલ્ટ્રીફાર્મ માં જરૂરી ખોરાક પાણી ના સાધનો લઇ આવી પોલ્ટ્રીફાર્મ ની શરૂઆત માટે જે મરઘી ના બચ્ચા ખોરાક તેમજ વિકસિન વગેરે પ્રિમિયમ કંપની સાથે કરાર કરી મરઘી ૪૫ દિવસ માં તૈયાર થઇ જાયછે. જે પ્રિમિયમ કંપની ને વેચાણ કરું છું જે માંથી ૬૦૦૦૦/-થી ૬૪૦૦૦/- સાંઠ થી ચોસઠ હજાર રૂપિયા ની આવક થાય છે. જે માંથી ખર્ચ કાઢતા ૪૫૦૦૦ જેટલી ચોખ્ખી આવક મળે છે. જેના થકી ખેતી માટે કે કોઇ પ્રસંગ માટે ઓછી ના પૈસા લેવાની જરૂરિયાત ઉભી થતી નથી.મારી રોજગારી સાથે અએક પુરક આવક શરૂ થતા મળેલ આવક થી લોન ભરપાઇ કરું છું અને મારા બાળકોને સારી શાળામાં ભણવા માટે મોકલાવું છું .આ લોન સહાય થકી મારું અને મારા પરિવારનું જીવન ધોરણ ઉપર આવેલ છે.આવી રોજગારલક્ષી યોજના નો લાભ મેળવી હું સરકારશ્રી અને આદિજાતિ વિકાસ કોર્પોરેશન નો આભાર માનુ છું .




Also in this Section