કાર્ય


gr

અધિનિયમ ની કલમ-૧૬ (૧) અનુસાર ગુજરાત રાજ્યમાં વસતાં આદિજાતિ સભ્યો ની સામાજિક અને આર્થિક ઉન્નતિનું કાર્ય હાથ ધરવાની કોર્પોરેશનની પ્રાથમિક ફરજ રહેશે. અધિનિયમ ની કલમ-૧૬ (૨) અનુસાર રાજ્યમાં વસતાં અનુસૂચિત જનજાતિના સભ્યો ની સામાજિક અને આર્થિક ઉન્નતિનું કાર્ય હાથ ધરવાની પ્રાથમિક ફરજ અનુસાર પોતાની મેળે અથવા બોર્ડ મંજૂર કરે તેવા અનુસૂચિત આદિજાતિ નાં મંડળો અથવા તેવી બીજી એજન્સીઓનાં સહયોગથી અથવા તેમની મારફતે કૃષિ વિકાસ કાર્યક્રમો, માર્કેટીંગ પ્રક્રિયા ખેતી ના ઉત્પન્નનો પુરવઠો અને સ્ટોરેજ, લધુઉઘોગ, મકાનો નાં બાંધકામ, હેરફેર અને રાજ્ય સરકાર આ અર્થે મંજૂર કરે તેવી બીજી પ્રવૃતિઓનું આયોજન કરવાની અને તે શરૂ કરવાની કામગીરી હાથ ધરવા નું વિશાળ કાર્યક્ષેત્ર પ્રાપ્ત થયેલ છે.જે અન્વયે હાલ નિગમ તરફથી નીચેની યોજનાઓ કાર્યરત છે.

સરકારશ્રી તરફથી મુડી ભંડોળ પટે રકમ ચુકવવામાં આવે છે જેમાંથી નીચેની યોજનાહઓમાં કામગીરી કરવામાં આવે છે. (૧) મુડી ભંડોળ હેઠળ ધિરાણ - આ યોજનામાં સહકારી મંડળી અને સહકારી મંડળીના સભ્યને વ્યકિતગત ધિરાણ કરવામાં આવે છે.(ર) સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ:-(૩) શિક્ષિત બેરોજગાર યુવાનોને પ્રેટ્રોલપંપ, ગેસ, કેરોસીન/ફૂડ વિતરણની એજન્સી માટે નાણાંકીય લોન/સહાય યોજના:- ):- (૪) એમ.ડી.અથવા એમ.એસ.(પોસ્ટ ગ્રેજ્યૃએટ) ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન/સહાયની યોજના (૫) મેડીકલ ડીગ્રી (એમ.બી.બી.એસ, બી.એસ.એ.એમ., બી.એ.એમ.એસ., બી.ડી.એસ.) મેળવેલ ડોક્ટરોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન/સહાયની યોજના:-

રાજય સરકારધ્વારા નીચેની યોજનાઓ માટે દરવર્ષે ગ્રાન્ટ આપવામાં આવે છે.

(૧)વકીલ સહાયની યોજના:- (૨) કાયદા સ્નાતકોને વકીલાતની સ્વતંત્ર પ્રેકટીસ કરવા માટે નાણાંકીય લોન/સહાયની યોજના:-(૩)વિદેશ અભ્યાસ માટે નાણાકીય ધિરાણની યોજના:- (૦૪)કોર્મશીયલ પાયલોટના લાયસન્સની તાલીમ માટે નાણાંકીય ધિરાણની યોજના (૫) ધોરણ-૧૨ પછી એમ.બી.બી.એસના અભ્યાસક્રમમાં સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને બધા સત્રની ફી ભરવા માટે લોન (૬) નાના વ્યવસાયકારોને ધંધાનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે લોન (બેન્કેબલ યોજના આમ ઉપર મુજબની યોજનાઓ નો આદિજાતિના લોકોને નિગમ તરફથી લાભ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના નેશનલ શીડયુલ ટ્રાઇબ નાણાં વિકાસ નિગમ ન્યુ દીલ્હી ધ્વારા ગ્રાન્ટ મેળવી નીચેની યોજનાઓ અમલમાં છે. (૧) NSTFDC ની યોજનાઓ-આદિજાતિ ના લાભાર્થીઓને તરફથી જુદા જુદા પ્રકારના વાહનો મેળવવાની માંગને ધ્યાને લઇ મારૂતીવાન, ઓટોરીક્ષા બજાજ,ડીઝલ કેરીયર રીક્ષા, મીનીટ્રક૪૦૭, ટ્રેકટર વીથ ટ્રોલી, ઓઇલ એન્જીન/ઇલે.મોટર વિગરે હેતુઓ માટેધિરાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું.છે (ર) આઇ.ડી.પી.યોજના હેઠળ યોજના:- ૩) અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેની શિક્ષારૂણ યોજના (NSTFDC).

Also in this Section