વારંવાર પૂછાતા પ્રશ્નો


  • અત્રેના કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ / પાયલોટની તાલીમ / વકીલ સહાય-સ્ટાઈપન્ડ એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના પ્રથમ સત્રની ફી માટે નાણાકીય લોન આપવાની યોજના અમલમાં છે.
  • ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની યોજનાઓ માટે ગાંધીનગર ખાતે વડી કચેરીમાં ધિરાણ શાખાના ડેપ્યુટી મનેજરશ્રી નો સંપર્ક કરવો તથા જિલ્લા કક્ષાએ પ્રાયોજના કચેરીમાં બેસતા આસીસ્ટન્ટ મેનેજરનો સંપર્ક કરવો. નોન ટ્રાયબર વિસ્તારમાં મદદનીશ કમીશ્નરશ્રી (તકેદારી) નો સંપર્ક કરવો.
  • વિદેશ અભ્યાસ માટે રૂ. 15 લાખની લોન મળે છે. જેનો વ્યાજનો દર 4% છે. તથા પાયલોટની તાલીમ માટે રૂ. 25 લાખની મર્યાદામાં 4 %ના દરે લોન મળે છે.
  • ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની યોજનાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં આદિજાતિ વિસ્તાર તથા બિનઆદિજાતિ વિસ્તાર માટે અમલમાં છે.
  • ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની નવી યોજના (1) સ્વરોજગારી યોજનામાં વ્યક્તિગત ધિરાણની યોજનામાં વ્યક્તિગત ધિરાણ માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે.
સંબંધિત કડીઓ