સરકારશ્રી તરફથી મળેલ મૂડી ભંડોળ


gr

કોર્પોરેશને આર્થિક પ્રવૃતિ હાથ ધરવા માટે જોઇતી મુડી રાજય સરકાર પુરી પડે છે. રાજય સરકારે આદિજાતિ વિકાસ કોર્પોરેશન અધિનિયમ ની કલમ ૫ ની જોગવાઇ મુજબ રૂ. ૫.૦૦ કરોડની મુડી કોર્પોરેશન માટે ઉપલબ્ધ કરવાની થતી હતી. તેમ થયા બાદ સને૧૯૮૮-૮૯ ના વર્ષ દરમ્યાન રાજય સરકારે મુડી ભંડોળની રૂ. ૫.૦૦ કરોડની આ મર્યાદા વધારીને રૂ. ૧૫.૦૦ કરોડની કરી છે. ૧૯૯૫-૯૬ના વર્ષમાં સરકારશ્રીએ વધારાના રૂ.૫.૦૦.કરોડ મુડી ચંડોળ તરીકે મંજુર કરેલ છે. આમ કુલ રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઇ કરેઇ છે. ત્યાર બાદ તા. ૨૬/૧૨/૨૦૦૦ ના વટહુકમ ક્રમાંક ૮/૨૦૦૦ અન્વયે મુડી ભંડોળની મર્યાદામાં રૂ. ૫૦ કરોડ સુધીનો વધારો કરેલ હતો. વધુમાં તા. સને ૨૦૧૬-૧૭ માં ભંડોળ માં રૂ. ૬૫ કરોડ સુધીનો વધારો કરેલ છે. તા. ૩૧/૩/૨૦૧૮ સુધીમાં રૂ. ૬૫ કરોડ મુડી ભંડોળ સરકારશ્રી તરફથી ચુકવવામાં આવેલ છે.

Also in this Section