કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ લોન


gr

  • યોજનાનું નામ | કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ તાલીમ માટે લોન (બીસીકે-૧૩૬) સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રી દ્વારા કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.
  • લાયકાત / પાત્રતા | અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.

    અરજદારે મેટ્રીક્યલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

    સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.

    સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટ માં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ.
  • ધિરાણ મર્યાદા | રુ. ૨૫.૦૦ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે ૪ ટકાના વ્યાજના દરે.
  • અભિપ્રાય / ભલામણ | આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

    આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે રજુ કરવાની હોય છે.
  • લોન પરત કરવાનો સમયગાળો | લોન આપ્યા તારીખથી એક વર્ષ પછી લોનની વસુલાત ૧૦ વર્ષમાં મુદ્દલ અને ૨ વર્ષમાં વ્યાજ એમ ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ વ્યાજ સહીત ભરપાઈ કરવાની રહેશે.
  • યોજનાની લોનની રકમ રૂ. | રૂ.૨૫.૦૦ લાખ
  • યોજનાની ટૂંકી વિગત | આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતીઓ માટે પાયલોટ તાલીમના માટે રૂ.૨૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમજ આ યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. જેનો વ્યાજનો દર વાર્ષિક ૪% છે .
Also in this Section