સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ
યોજનાનું નામ:- સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ
ધિરાણ મર્યાદા / વ્યાજનો દર :-આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના આદિજાતિના બેરોજગાર ઇસમો આર્થિક રીતે પગભર થાય તે હેતુથી જુદા- જુદા ધંધાઓ માટે રૂ.૫૦,૦૦૦/- થી રૂ.૫,૦૦,૦૦૦/- સુધી વાર્ષિક ૬% ના વ્યાજના દરે ધિરાણ મેળવી શકે છે.
લોન પરત કરવાનો સમયગાળો:- આ યોજના હેઠળ ૨૦ ત્રિમાસિક હપ્તામાં લોન ભરપાઇ કરવાની રહે છે.
લાયકાત અને પાત્રતા:- ૧. અરજદાર આદિજાતિના હોવા અંગે દાખલો/પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્રારા ઇસ્યુ કરેલ હોવું જોઇએ. ૨. અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ૩. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ.૧.૨૦ લાખ તેમજ રૂ.૧.૫૦ લાખ થી વધુ ન હોવી જોઇએ. ૪. અરજદાર સ્વરોજગારી યોજના હેઠળ લાભ મેળવવા માટે જે-તે હેતુ માટે નિયત કરેલ અનુભવ ધરાવતો હોવો જોઇએ.